AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીમાં સફેદમાખીનું સંકલિત વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીમાં સફેદમાખીનું સંકલિત વ્યવસ્થાપન
નુકસાન પામેલ પાન બચ્ચાં તથા કોશેટાથી છવાયેલુ જોવા મળે છે. વધુ ઉપદ્રવથી પાન પર પીળા અને આછા લીલા રંગની પટ્ટીઓ જોવા મળે છે. વધુ ઉપદ્રવવાળા ખેતરમાં શેરડીના પાન કાળા પડી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે. સંકલિત વ્યવસ્થાપન: o જે ખેતરમાં પાણી ભરાઈ રહેતુ હોય તે ખેતરમાં શેરડી રોપવી નહીં અથવા પાણીના નિકાલની પુરતી વ્યવસ્થા કરવી. o ક્ષારીય અને ભાસ્મિક જમીન સફેદમાખીનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. o શેરડીનો બડઘા પાક લેવો નહીં. o નાઈટ્રોજન અને ફોસ્ફરયુકત ખાતરોનો ભલામણ મુજબ જ આપવા. o સફેદમાખીના કોશેટાઓમાં ગોળ કાણાં જોવા મળે તો રાસાયણિક દવાનો છંટકાવ મુલત્વી રાખવો કારણ કે તેમનું પરજીવી કિટકથી પરજીવીકરણ થઇ ગયેલ છે. o વધુ ઉપદ્રવ હોય તો એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
132
0