AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીમાં ફુદફુદીયા (પાયરીલા)નું નિયંત્રણ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીમાં ફુદફુદીયા (પાયરીલા)નું નિયંત્રણ
આ કીટક ખુબજ ચપળ અને એક પાન પરથી બીજા પાન પર કુદકા મારતા હોય છે. આ જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોય તેવા ખેતરમાં તડતડ અવાજ સંભળાય છે. બચ્ચાં અને પુખ્ત કીટક પાનમાંથી રસ ચુસીને નુકસાન કરે છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે, જે પાન પર પડે છે તેના પર કાળી ફુગ વિકાસ પામે છે. સંકલિત વ્યવસ્થાપન: o ઈંડાંના સમુહો એકઠા કરી નાશ કરવા. o મેટારીઝીયમ એનીસોપ્લી ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. o એપીરીકેનીયા મેલાનોલ્યુકા નામના પરોપજીવીની હાજરી ન જણાતી હોય ત્યાં એપીરીકેનીયા હોય ત્યાંથી પાન કાતરથી કાપી લાવવા. એક કે બે કોશેટા/ઈંડાંના સમૂહ રહે તે રીતે પાનના ટુકડાં કરવા. આવા ટુકડા સ્ટેપલર વડે પાનની નીચેની બાજુએ લગાડવા. o એક હેકટર વિસ્તારમાં આ પરજીવી એક લાખ (૨૫૦ ઈંડાંના સમૂહ) અને બે હજાર કોશેટાઓ ચોંટાડવા. o જે વિસ્તારમાં પરજીવીઓ છોડ્યા હોય ત્યાં કીટનાશક દવાનો છંટકાવ કરવો નહીં. o જે વિસ્તારમાં પરજીવીની હાજરી જણાતી ન હોય અને ઉપદ્રવ વધતો હોય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ ઈસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
14
1
અન્ય લેખો