આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શેરડીના પાકમાં ઉધઈ નું નિયંત્રણ
શેરડીના પાકમાં ઊધઈ નો ઉપદ્રવ રેતાળ જમીન માં વધુ જોવા મળે છે. ઉધઈ શેરડી નો નરમ ભાગ ખાઈ નુકસાન કરે છે. અસરગ્રસ્ત છોડના બાહ્ય પાંદડા પહેલા સુકાઈ જાય છે અને પછી શેરડી નાશ પામે છે. આવા છોડમાંથી ગંધ આવતી નથી અને છોડ માટીમાંથી સરળતાથી નીકળી આવે છે. ઉધઈ નું નિયંત્રણ કરવા માટે, કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 75.00% એસજી @ 240 ગ્રામ માટી અથવા ખાતર સાથે ભેળવીને એક એકર જમીનમાં આપવું.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ _x000D_
આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.