પશુપાલનGSTV
શું વાત છે, 22 લાખ જેટલા 🐄 પશુઓના આધાર કાર્ડ નીકળ્યા !
🐄ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં 22 લાખ જેટલા પશુઓના આધાર કાર્ડ નીકળ્યા. અને 21 લાખ જેટલા પશુઓનું રસીકરણ થયું છે. જોકે આ પ્રક્રિયા જિલ્લાના પશુપાલન વિભાગે પશુઓની સુરક્ષા અને આરોગ્ય માટે ઝુંબેશ હાથ ધરી છે. નવાઈની વાત છે કે પશુઓના પણ આધારકાર્ડ નીકળી રહ્યા છે. રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ હેઠળ પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના સહયોગથી પશુઓના આધાર કાર્ડ નીકળી રહ્યા છે અને રસીકરણ થઈ રહ્યું છે.
🔹પશુઓને આગવી ઓળખ માટે આધારકાર્ડની જેમ બાર આંકડાનું યુનિક આઈડી કાને લગાવાય છે
🔹યુનિક આઈડીને ઓનલાઈ પોર્ટલ સાથે જોડવામાં આવે છે
🔹અત્યાર સુધી ૨૨ લાખ પશુઆેના આધાર કાર્ડ નીકળ્યા, ૨૧ લાખ પશુઆેનું રસીકરણ થયું
🔹પશુપાલન વિભાગની ૯૦ અને બનાસ ડેરીની ૬૫૨ ટીમ કામ કરી રહી છે
🔹પશુઓની આગવી ઓળખ માટે આધાર કાર્ડની જેમ બાર આંકડાનું યુનિક આઈડી પશુઓના કાને લગાવાય છે. અને તેને ઓનલાઈન પોર્ટલમાં જોડવામાં આવે છે. જેમાં પશુપાલન વિભાગની 90 અને બનાસ ડેરીની 652 ટીમ કામ કરી રહી છે.
🐃યુનિક આઈડી પશુપાલકો અને ખેડૂતો માટે અનેક પ્રકારે ફાયદારૂપ છે. પશુપાલકોને તેમનું અમૂલ્ય પશુધન કે તેની આગવી ઓળખ રહે છે. જો કોઈ પશુ ખોવાઈ જાય તો તેના આધાર કાર્ડને આધારે શોધવામાં મદદરૂપ થાય છે. જ્યારે આ યુનિક આઈડીથી પશુ માલિક નજીકના પશુ દવાખાનાની પણ સેવા લઈ શકે છે. એટલું જ નહીં.. પશુ માલિકને લોન લેવી હોય તો પણ તેમાં કામ લાગી શકે છે.
ખેડૂતો અને પશુપાલકોના પશુઓના આરોગ્ય, સુરક્ષા અને જાળવણી પશુપાલન વિભાગ અને બનાસ ડેરી કરે છે. તાલુકા મથક ઉપર પણ પશુપાલન અધિકારી સ્થળ પર જાતે જઈને જેમ બને તેમ મોટા પ્રમાણમાં રસીકરણ થાય અને મોટા પ્રમાણે યુનિક આઈડી લાગે તેવા પ્રયત્નો કરી રહ્યાં છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : GSTV
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો