સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શિયાળામાં પાકને હિમથી બચાવવાની રીત જાણો!
મોટાભાગના પાકને શિયાળાની સીઝનમાં હિમથી પ્રભાવિત થાય છે. સામાન્ય રીતે ડિસેમ્બર થી જાન્યુઆરી વચ્ચે હિમ થવાની શક્યતા વધુ રહે છે. હિમની અસર પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં જોવા મળે છે. આનાથી ફળના પાકને ભારે નુકસાન થાય છે. પરિણામે ભારે નુકસાન વેઠવું પડે છે. પાંદડા, ફૂલો અને ફળો સુકાઈ જવાને કારણે બેક્ટેરિયા જન્ય રોગો ફાટી નીકળે છે. ફળો પર ફોલ્લીઓ દેખાવાનું શરૂ થાય છે, આ તેમના દેખાવ અને સ્વાદને પણ બગાડે છે.
પાકને હિમથી બચાવવાનાં પગલાં:
• ફળોના છોડને હિમના નુકસાનથી બચાવવા માટે લગભગ 100 વોલ્ટનો ઈલેકટ્રીક બલ્બ લગાવો.
• જ્યાં હિમ થવાની સંભાવના હોય છે ત્યાં બીટ, ગાજર, ઘઉં, મૂળા વગેરે જેવા પાક ઉગાડવાથી ઝાકળની અસર ઓછી થાય છે.
• પાકમાં જ્યારે ઝાકળની અસર થાય ત્યારે સલ્ફરના 0.1% દ્વાવણનો છંટકાવ કરવો.
• ફળના છોડને નાઇટ્રોજન ખાતર અને અન્ય પોષક તત્વોનો છંટકાવ કરીને નુકસાનથી બચાવી શકાય છે.
• છોડને ઝાકળ દ્વારા થતાં નુકસાનથી બચાવવા માટે સૂક્ષ્મ અથવા ગૌણ તત્વોના છંટકાવ દ્વારા પણ સુરક્ષિત કરી શકાય છે.
• હિમ થવાની સંભાવના હોય ત્યારે પાકને પાણી આપવું ન જોઈએ.
• ખેતરની ચારેય બાજુ સાંજના સમયે ધુમાડો કરવો જોઇએ.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સેલન્સ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.