AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શિયાળામાં પશુઓની કાળજી લેવી
પશુપાલનએગ્રોવન
શિયાળામાં પશુઓની કાળજી લેવી
• શિયાળામાં દરમિયાન પશુઓમાં નાક વહેવું, આંખમાં ખંજવાળ આવવી, ભૂખ ઓછી લાગવી, ધ્રુજવું, વગેરે જેવા લક્ષણો જોઈ શકાય છે. આ લક્ષણો ટાળવા માટે સાંજે પશુઓને એક શેડમાં બાંધી દેવા જેથી તે ઠંડીમાં ઠરી ન જાય. • પશુઓના શેડમાં સુકો ચારો મુકવો. • જો ખુબ વધુ ઠંડી હોય તો પશુઓને હુંફાળું વાતાવરણ આપવા માટે તાપણું કરવું પરંતુ ધુમાડાનો નિકાલ યોગ્ય રીતે થાય તેની કાળજી લેવી . • ઠંડીમાં પશુઓને તેમના શરીરનું તાપમાન જાળવવા માટે શક્તિની જરૂર હોય છે. શક્તિની અછતને કારણે તેઓ ધ્રુજારી અનુભવી શકે છે • ધ્રુજારી ટાળવા માટે પશુ આહારમાં શક્તિદાયક ખોરાક વધારવો. આવા વાતાવરણમાં પશુઓની પ્રજનન ક્ષમતા 10% થી 20% જેટલી વધી જાય છે. તેથી શરીરમાં વધુ શક્તિ મળવી જરૂરી છે.
• પશુઓ વધુ ગરમી મેળવવા માટે વાગોળવાની પ્રક્રિયા કરે છે જે ઠંડીથી તેમનું રક્ષણ કરે છે._x000D_ • શિયાળામાં પશુઓને જરૂરી શક્તિ મળતી નથી માટે તેમના આહારમાં ધીમે ધીમે ફેરફાર કરવો._x000D_ • શિયાળામાં પશુઓને વધુ શક્તિ મળે તે માટે 1 કિગ્રા મકાઈ અને 100 ગ્રામ બાયપાસ ફેટ ખવડાવવું._x000D_ • પશુઓના વિયાણ માટે યોગ્ય અને આરામદાયક જગ્યા તૈયાર કરવી._x000D_ • પશુઓને સ્વચ્છ અને તાજું પીવાનું પાણી પૂરું પાડો._x000D_ • વાછરડાની ખાસ કાળજી લો અને તે માંદુ ન પડે તે માટે શેડ ચોખ્ખું રાખો._x000D_ સ્રોતો- એગ્રોવન, 20 જાન્યુઆરી
408
0
અન્ય લેખો