ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શાકભાજીના પાકમાં તળછારાનું નિયંત્રણ
🌿હાલમાં શાકભાજી પાકોમાં ઘણા રોગો જોવા મળે છે. એમાંથી વધારે ખેડૂતો ને તળછારાના રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો ચાલો જાણીએ આ રોગનું સચોટ નિયંત્રણ વિશે!!
🌿તળછારો ના રોગ માટે ભીનું અને ભેજવાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. જો રોગ શરૂઆતની અવસ્થામાં જોવા મળે તો છોડના બીજ પત્ર ઉપર અથવા શરૂઆતના બે ત્રણ પાન ઉપર અર્ધપારદર્શક ભૂખરા રંગના ટપકાં જોવા મળે છે જે ધીમે ધીમે મોટા થાય સુકાઈ જાય છે. પાછલી અવસ્થામાં પાનની ઉપરની બાજુએ અનિયમિત આકાર ના પીળાશ પડતા ડાઘ પડે છે. અને પાન ની નીચેની બાજુ એ અને પાન ઉપર સફેદ રંગ ની ફૂગનો વિકાસ થાય છે.
🌿આ રોગ માં પાન પર પીળા ધાબા પડતા હોવાને કારણે પ્રકાશસંશ્લેષ ની પ્રક્રિયામાં ઘટાડો થતા છોડનો વિકાસ અટકી જાય છે. વધુ ઉપદ્રવ માં પાન સુકાઈ ને ખરતા જોવા મળે છે. પાન ખરી પડતા હોવાને કારણે છોડ પર લાગેલા ફળો ઉપર સૂર્ય તાપની સીધી અસર થવાને કારણે ફળ ની ગુણવતા ઘટતી હોય છે. છોડની વૃદ્ધિ અટકવાથી ફળ ઓછા બેસે છે અને ફળ કદમાં નાનું રહે છે
🌿સચોટ નિયંત્રણ
આ રોગ ની શરૂઆતની અવસ્થામાં કુપર- 1 (કોપર ઓક્સીક્લોરાઇડ 50% WG) 45 ગ્રામ/ 15 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને બીજો છંટકાવ 12 થી 15 દિવસ પછી રોઝતામ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% SC) 22 મિ.લિ./ 15 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મેળવી શકાઈ છે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!