એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શક્કરટેટી અને તડબૂચમાં પાનકોરિયાથી થતો નુકસાન અટકાવો !
👉 ઉનાળામાં ઘણા ખેડૂતોએ શક્કરટેટી અને તડબૂચની ખેતી કરતા હોય છે.
👉 આ પાકમાં પાનકોરિયું (લીફમાઇનર)થી નુકસાન થતું હોય છે.
👉 આ ઇયળ પાનની અંદર બોગદુ બનાવી પાન કોરી ખાતા પાન ઉપર સફેદ લીસોટા ઉપસી આવે છે.
👉 ઉપદ્રવની શરુઆતમાં કોઇ પણ લીમડા આધારિત ૧૫૦૦ પીપીએમ વાળી દવા ૪૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
👉 તેમ છતા ઉપદ્રવ વધતો જણાય તો આણંદ કૃષિ યુનિ.ની તાજેતરની એક ભલામણ અનુંસાર સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે બે વાર ૧૫ દિવસના ગાળે છંટકાવ કરવો.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.