AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાવાઝોડું 'નિસર્ગ': મુંબઇના દરિયાકાંઠે આજે ટકરાશે તુફાન નિસર્ગ, મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં મચાવી શકે છે તબાહી !
કૃષિ વાર્તાસ્કાયમેટ
વાવાઝોડું 'નિસર્ગ': મુંબઇના દરિયાકાંઠે આજે ટકરાશે તુફાન નિસર્ગ, મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં મચાવી શકે છે તબાહી !
ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ અરબી સમુદ્રના મધ્ય પૂર્વમાં પહોંચી ગયું છે અને તે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં સતત આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 કલાક દરમિયાન, તેની આગળ વધવાની ગતિ પ્રતિ કલાક 11 કિલોમીટર જેટલી હતી. આજની રાત માં આ આગળ વધતા મુંબઇની ખૂબ નજીક પહોંચી ગયું અને હવે મુંબઈથી તેનું અંતર લગભગ 100 કિલોમીટરનું છે. ચક્રવાત નિસર્ગ સુરતથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 400 કિમી દૂર છે. સમુદ્ર માં પરિસ્થિતિ ચક્રવાતી તુફાન નિસર્ગ ને અનુકૂળ છે. સમુદ્ર સપાટીનું તાપમાન 30 થી 31 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ છે અને વર્ટિકલ વિન્ડશિયર 15 થી 30 કિ.મી. છે જો કે હળવા થી મધ્યમ છે. વાવાઝોડું નિસર્ગ ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધશે અને એવી અપેક્ષા છે કે આજે બપોરથી સાંજની વચ્ચે ગમે ત્યારે મુંબઈની નજીકના કાંઠે ત્રાટકશે. આ વાવાઝોડું દરિયાકાંઠાના કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રમાં 48 કલાકના સમયગાળા દરમિયાન વ્યાપક વરસાદ વરસાવશે. આ જેમ જેમ ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં સતત વધતું રહેશે કર્ણાટક ના નીચલા ભાગોથી વરસાદ ઘટશે અને ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદ વધતો જશે. 3 જૂન જ્યારે આ લેન્ડફોલ બનાવવા માટે નજીક હશે તે સમય થી લઈને 4 જૂન ની વચ્ચે રાયગઢ થી લઈને પાલઘર, દમણ અને દીવ અને ગુજરાતના વલસાડ અને નવસારી સહિત આસપાસના વિસ્તારોમાં વ્યાપક અસર થશે. 'નિસર્ગ' વાવાઝોડાને કારણે મહારાષ્ટ્ર, ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર ક્ષેત્ર, ગુજરાત, દાદરા અને નગર હવેલી, દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના આંતરિક ભાગોને પણ અસર થશે. આ ભાગોમાં 3 જૂનથી 5 જૂન સુધી સારો વરસાદ પડી શકે છે. સંદર્ભ : સ્કાયમેટ વેધર, 03 જૂન 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
88
0
અન્ય લેખો