AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાવણી સમય, હરોળ વચ્ચેનું અંતર અને બિયારણના દરની જીવાત ઉપર અસર
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વાવણી સમય, હરોળ વચ્ચેનું અંતર અને બિયારણના દરની જીવાત ઉપર અસર
• કોઇ પણ પાકનું સાંકડાગાળે તથા નજીક વાવેતર કરવાથી જીવાતોનો ઉપદ્રવ વધતો હોય છે. • સાંકડે ગાળે વાવેતર કરવાથી ભેજનું પ્રમાણ વધારે અને સૂર્ય પ્રકાશની અપૂરતિ જીવાતને વધવામાં મદદ મળતી હોય છે. • ડાંગરની ફેરરોપણીનું અંતર બે છોડ વચ્ચે ઓછું રાખવાથી ચૂસિયાં અને પાન વાળના ઇયળનો ઉપદ્રવ વધુ રહે છે. • શેરડીની રોપણી ટૂંકા ગાળે કરવાથી ગાભામારાની ઇયળથી નુક્સાન વધારે થતો હોય છે.
• કપાસની બે હરોળ વચ્ચેનું અંતર ટૂંકુ રાખવાથી ચૂંસિયા પ્રકારની જીવાતો વધારે આવે છે. • મગફળીનું નજીકમાં વાવેતર કરવાથી મોલોનો ઉપદ્રવ ઓછો રહે છે. • વાવણી સમયનો ફેરફાર કરવાથી પણ જીવાતની વસ્તિ વધારે ઓછી રહે છે. • રાયડાનું વાવેતર ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં કરવામાં આવે તો મોલો અને રાઇની માખીનો ઉપદ્રવ નહિવત રહે છે. • જૂવારની વહેલી વાવણી સાંઠામાખીનો ઉપદ્રવ ખૂબ જ ઓછો રહે છે. • ઉનાળું કઠોળ જેવા કે મગ, અડદનું વાવેતર ફેબ્રુઆરીના બીજા પખાવાડિયાથી માર્ચના પ્રથમ અઠવાડિયા વચ્ચે કરવાથી જીવાતોનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. • વહેલી કપાસની વાવણીથી ચૂસિયાં જીવાતથી ઓછું નુકસાન થાય છે. • મકાઇનું ઓગષ્ટ્ના પ્રથમ પખવાડિયે કરવાથી ગાભમારાની ઇયળ કાબૂમાં રહે છે. • બિયારણનો ભલામણથી થોડો વધારે રાખવાથી જુવારમાં સાંઠામાખીથી થતા નુકસાનને સરભર કરી શકાય છે. • આમ, કૃષિ યુનિ. કે ખેતીવાડી ખાતા તરફથી ભલામણ કરેલ વાવણીનો અંતર, વાવણીનો સમય અને બિયારણનો દર જાળવી રાખવાથી કેટલીક જીવાતો સામે રક્ષણ મેળવી શકાય છે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
295
0