AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાવણી પહેલા અને વાવણી વખતે ગુલાબી ઇયળ માટેના પગલાં
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વાવણી પહેલા અને વાવણી વખતે ગુલાબી ઇયળ માટેના પગલાં
જે વિસ્તારમાં ગયા વર્ષે કપાસમાં આ જીવાતનો ઉપદ્રવ થયેલ તે વિસ્તારમાં આ જીવાત ફરી આવવાની પૂરેપુરી શક્યતા રહેલી છે. જેથી આ માટે ખેડૂતો આગોતરુ આયોજન તે ખૂબ જ જરુરી છે. • અગાઉ પુરા થઇ ગયેલા કપાસના અવશેષો ભેગા કરી સેન્દ્રીય ખાતર બનાવો. • કરાઠી પણ જો હજુ સુધી ખેતરમાં કે ખેતરના શેઢા ઉપર પડી હોય તો તેનો નિકાલ કરો. • કરાઠીને શ્રેડરની મદદથી ભૂકો/ટૂકડા કરી સેન્દ્રીય ખાતર બનાવી શકાય. • કરાંઠીઓનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવું નહિ. • જીનીંગ ફેક્ટરીમાં ગુલાબી ઇયળના ફિરોમોન ટ્રેપ્સ ગોઠવવા. • બળતણની કરાંઠીના ઢગલાને પ્લાસ્ટીક કે શણના કંતાનથી ઢાંકી દેવા. • કરાંઠીના ઢગલા ખેતરના શેઢે કે નજીકમાં રાખવા નહિ.
• વહેલી પાકતી કપાસની જાત પસંદ કરો. • વહેલી વાવણી કરવાથી ગુલાબી ઇયળનો ઉપદ્રવ થવા સંભવ છે, સમયસર વાવણી કરો. • નોન-બીટી બિયારણનું આશ્રય (રેફ્યુજા) પાક તરીકે વાવેતર અવશ્ય કરવું. • સપ્રમાણ ખાતર અને પિયતનો ઉપયોગ કરવો. • પાકની ફેરબદલી અપનાવવી અને આંતરપાકનું વાવેતર કરવું. • એગ્રોસ્ટારની ગોલ્ડ ટ્રીટમેન્ટ અપનાવો અને તેમના માર્ગદર્શનને અનુસરો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
529
0
અન્ય લેખો