ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વાવણી પહેલા અને વાવણી વખતે ગુલાબી ઇયળ માટેના પગલાં
જે વિસ્તારમાં ગયા વર્ષે કપાસમાં આ જીવાતનો ઉપદ્રવ થયેલ તે વિસ્તારમાં આ જીવાત ફરી આવવાની પૂરેપુરી શક્યતા રહેલી છે. જેથી આ માટે ખેડૂતો આગોતરુ આયોજન તે ખૂબ જ જરુરી છે.
• અગાઉ પુરા થઇ ગયેલા કપાસના અવશેષો ભેગા કરી સેન્દ્રીય ખાતર બનાવો.
• કરાઠી પણ જો હજુ સુધી ખેતરમાં કે ખેતરના શેઢા ઉપર પડી હોય તો તેનો નિકાલ કરો.
• કરાઠીને શ્રેડરની મદદથી ભૂકો/ટૂકડા કરી સેન્દ્રીય ખાતર બનાવી શકાય.
• કરાંઠીઓનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવું નહિ.
• જીનીંગ ફેક્ટરીમાં ગુલાબી ઇયળના ફિરોમોન ટ્રેપ્સ ગોઠવવા.
• બળતણની કરાંઠીના ઢગલાને પ્લાસ્ટીક કે શણના કંતાનથી ઢાંકી દેવા.
• કરાંઠીના ઢગલા ખેતરના શેઢે કે નજીકમાં રાખવા નહિ.
• વહેલી પાકતી કપાસની જાત પસંદ કરો.
• વહેલી વાવણી કરવાથી ગુલાબી ઇયળનો ઉપદ્રવ થવા સંભવ છે, સમયસર વાવણી કરો.
• નોન-બીટી બિયારણનું આશ્રય (રેફ્યુજા) પાક તરીકે વાવેતર અવશ્ય કરવું.
• સપ્રમાણ ખાતર અને પિયતનો ઉપયોગ કરવો.
• પાકની ફેરબદલી અપનાવવી અને આંતરપાકનું વાવેતર કરવું.
• એગ્રોસ્ટારની ગોલ્ડ ટ્રીટમેન્ટ અપનાવો અને તેમના માર્ગદર્શનને અનુસરો.
ડૉ. ટી. એમ. ભરપોડા
ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર
બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો