ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
વાયરસ થી રાખો પાક સુરક્ષિત
🌱હાલના બદલાતા વાતાવરણ પ્રમાણે ભીંડાના પાકમાં વાયરસનો પ્રશ્ન જોવા મળે છે. આ વાયરસ ના લીધે પાક માં ઘણું નુકશાન થાય છે જેને લીધે ઉત્પાદનમાં ઘટાડો થાય છે તો ચાલો જાણીએ વાયરસ ના નિયંત્રણ વિશે!!
✅આ રોગ વિષાણૂજન્ય છે અને સફેદમાખી તેનો ફેલાવો કરતી હોય છે.
✅છોડ પાન પીળા અને ઉપર ની બાજુ વળેલા દેખાય છે.સાથે પાક ની ગુણવત્તા અને ઉપજ ઓછી થઇ જાય છે.
✅આ રોગ સામે પ્રતિકારકશક્તિ ધરાવતી જાતોને પ્રાધ્યાન આપવું.
✅આ રોગની શરુઆત પ્રથમ એકલ-દોકલ છોડ ઉપરથી થતી હોવાથી તેવા દેખાતા છોડ કાઢી લઇ નાશ કરવા.
✅સફેદમાખી કે જે આ રોગના વાહક તરીકે કામ કરતી હોવાથી તેના નિયંત્રણ માટે ટોલ્ફેનપાયરાડ 15 ઇસી ઘટક ધરાવતી ઝેનીથ 40 મિલિ પ્રતિ 15 લીટરમાં સાથે છોડ ના સારા વિકાસ અને સારા ફૂલ-ફાલ માટે સ્ટેલર દવા ને 30 મિલી 15 પાણીમાં નાખી ને છંટકાવ કરવો.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!