એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
વરિયાળી માં દાણાની મીડ્જ જીવાત !
👉 હાલ વરિયાળી કાપણી અવસ્થાએ આવી ગઈ હશે.
👉 ખેડૂતો વરિયાળીને છાંયડામાં સુકવતા હોય છે.
👉 તે દરમ્યાન આ દાણાની મીડ્જ નુકસાન કરી શકે છે.
👉 કેટલીક વાત ખેતરમાં જ આનો ઉપદ્રવ શરુ થઇ જતો હોય છે અને સુકવણી વખતે આપણને નજરે પડે છે.
👉 આ જીવાતની ઇયળ દાણામાં ભરાય જઇ અંદર રહી નુકસાન કરતી હોય છે.
👉 બારીકાઇથી જોતા દાણા ઉપર ઝીણૂં કાણૂં જોવા મળે છે.
👉 આ પ્રકારના નુકસાનથી વરિયાળીની ગુણવત્તા તો બગડે છે પણ સાથે સાથે તેલના ટકા પણ ઓછા થાય છે.
👉 આવા કાણાં વાળા બીની ઉગાવાની શકિત/સ્ફૂરણશકિતમાં નોંધપાત્ર ધટાડો જોવા મળે છે.
👉આ જીવાતનો ઉપદ્રવ દર વર્ષે દેખાતો હોય તો ખેતર થી જ એના ઉપાય કરવા જોઇએ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો અને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરો.