એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વટાણાને નુકસાન કરતી ફૂદીની ઇયળ !
👉છોડના પાન અને ફૂલો ઉપર મૂંકેલ ઇંડામાંથી નીકળતી ઇયળ વટાણાની વિકસતી શીંગની અંદર ઉતરી વિકસતા દાણાને ખાય છે. નુકસાન પામેલ શીંગો પીળી પડી જલ્દી પરિપક્વ બની જાય છે. એક શીંગમાં એક કરતા વધારે ઇયળ પણ હોઇ શકે છે. વહેલી વાવણી કરેલ વટાણાના પાકમાં આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે.
👉વધુ ઉપદ્રવ હોય તો મેલાથિયોન ૫૦ ઈસી ૧૦ મિલિ અથવા બ્યુવેરિયા બેઝીઆના, ફૂગ આધારિત દવા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.