ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વટાણાના પાકમાં આવતો તળછારો અને તેનું નિયંત્રણ !
🌀આ તળછારાનો રોગ વટાણા ઉગાડતા દરેક પ્રદેશમાં જોવા મળે છે.આ રોગ પરોપજીવી ફૂગથી થાય છે.
🌀તળછારો ના રોગ માટે ભીનું અને ભેજવાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે.
🌀આ ફૂગ પાન પર આક્રમણ કરતા પાનની નીચેની સપાટીએ આછા પીડા ધાબા જોવા મળે છે. આ અક્રમિત ધાબામાં 🌀સફેદ રાખોડી રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે.
🌀રોગનું પ્રમાણ વધતા છોડના દરેક ભાગ પર પાન, ડાળી, ફૂલ અને શીંગ ઉપર ફૂગની સફેદ ભૂખરા રંગની ભૂકી જોવા મળે છે.
🌀આવા રોગિષ્ઠ છોડ ઉપર ફૂલ બેસ્ટ નથી અને કદાચ બેસે તો રોગિષ્ટ છોડો પર શીંગનો/ દાણાનો બરાબર વિકાસ થતો નથી. આવા રોગિષ્ઠ પાન અપરિપક્વ સુકાઈને ખરી પડે છે.
વટાણાના પાકમાં તળછારોનું નિયંત્રણ:
🌀પેહલો છંટકાવ: કોપર ૧ (કોપર ઓક્સીકલોરાઇડ ૫૦ % WP) @ ૪૫ ગ્રામ/૧૫ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
🌀 ૧૨ થી ૧૫ દિવસ પછી બીજો છંટકાવ: રોઝ્તમ (એઝોક્સીસ્ટ્રોબિન ૧૧ % + ટબુકોનાઝોલ ૧૮.૩% SC) @ ૨૨ મિલી/૧૫ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.