AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીંબુમાં ડાઈબેકનો રોગ  અને નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
લીંબુમાં ડાઈબેકનો રોગ અને નિયંત્રણ
👉લીંબૂના છોડમાં એક રોગ એવો છે જે ડાળીના ટોચના ભાગથી શરુ થાય છે. શરૂઆતમાં ડાળીઓની ટોચ સુકાવા લાગે છે અને આ અસર ધીમે ધીમે નીચે તરફ વધતી જાય છે. રોગગ્રસ્ત ઝાડના પાન પીળા પડવા લાગે છે, પાનનું કદ નાનું થઈ જાય છે અને પાનની સંખ્યા પણ ઘટવા લાગે છે. રોગ લાગેલી ડાળીઓ પર નાના કદના લીંબૂ દેખાવા લાગે છે, જે યોગ્ય વિકાસ પામતા નથી. 👉આ રોગના મુખ્ય કારણોમાં જમીનમાં પોષક તત્વોની ઉણપ, પાણીનો અતિશય ભરાવો, ઓક્સિજનની અછત, મીઠાશનું વધેલું પ્રમાણ, ફૂગ, વાયરસ અથવા કૃમિઓનો પ્રભાવ શામેલ છે. જો યોગ્ય નિયંત્રણ ન લેવામાં આવે, તો છોડના ઉત્પાદન પર નકારાત્મક અસર પડે છે. 👉રોગ નિયંત્રણ માટે પગલાં: ✅ છંટકાવ:કોપર ઓકસીક્લોરાઈડ 50 @ 50 ગ્રામ/15 લીટર પાણી અથવા એગ્રોસ્ટાર રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% SC) 20 મિલી/પંપ છંટકાવ કરવો. ✅ જમીન સુધારણા: એગ્રોસ્ટાર મેન્ડોઝ (માન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% WP) 500 ગ્રામ જમીનમાં અપાવું. આ ઉપાયો અપનાવીને લીંબૂના છોડને રોગમુક્ત રાખી શકાય અને વધુ ઉત્પાદન મેળવવામાં મદદ થાય. 👉સંદર્ભ :- AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
8
0
અન્ય લેખો