કૃષિ વાર્તાસંદેશ
લાખો ખેડૂતો ને મળશે નુકસાનનું વળતર !
લાખો ખેડૂતો ને મળશે નુકસાનનું વળતર !
રાજ્યના ૨૦ જિલ્લાના ૧૨૩ તાલુકાના ૭,૯૮૬ ગામોના ૨૭,૧૫,૨૮૧ ખેડૂતોની ૩૭,૩૯,૫૧૫ હેક્ટરમાં ઉગાડેલી ખેતીને ખેતીવાડી વિભાગના સર્વે મુજબ ભારે વરસાદથી નુકસાન થયું છે, જેમને નુકસાની વળતર-આર્થિક પેકેજનો લાભ મળશે. અસરગ્રસ્ત ખાતેદાર ખેડૂતો જેમના પાકને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે, તેમને પ્રતિ હેક્ટર રૂ. ૧૦ હજાર લેખે મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં વળતર ચૂકવાશે, જેમાં તમામ પાકોને બિનપિયત ગણી રૂ. ૬,૮૦૦ પ્રતિ હેક્ટર એસડીઆરએફની ગ્રાન્ટમાંથી અને બાકીના રૂ. ૩,૨૦૦ પ્રતિ હેક્ટર બજેટ જોગવાઈમાંથી ચૂકવાશે. જેમને રૂ. ૫ હજાર કરતાં ઓછું નુકસાન થયું હશે તેમનેય રૂ. ૫ હજાર ચૂકવાશે.
જરૂરી ડોક્યુમેન્ટ :
1. રાહત પેકેજનો લાભ મેળવવા માગતા ખેડૂતોએ નીચે જણાવેલ ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
2. નિયત નમૂનામાં ગામ નમૂના નં-૮/અ,
3. તલાટીનો વાવેતરનો દાખલો,
4. ગામ નમૂના નં-૭/૧૨,
5. આધાર નંબર,
6. બેન્ક ખાતા નંબર,
7. સંયુક્ત ખાતેદારના વાંધા સંમતિપત્રક
ઉપર આપેલ ડોક્યુમેન્ટ સાથે ૩૧ સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
સંદર્ભ : સંદેશ,8 ઓક્ટોમ્બર 2020.
આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરી ને મદદ કરો.