એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણમાં નુકસાન કરતી પાન કથીરીને રોકો !
✨ લાંબો સમય વાતાવરણ સુકું રહે તો રીંગણમાં આ જીવાતનો ઉપદ્રવ આવી શકે છે.
✨ હવે ધીરે ધીરે હવામાં ભેજનું પ્રમાણ ઘટવાની સાથે આ જીવાત વધતી હોય છે.
✨ પાન કથીરી પાન ઉપરાંત રીંગણના ફળને પણ નુકસાન કરતી હોવાથી સામાન્ય ઉપદ્રવ હોય તો પણ ફળની ગુણવત્તા ઉપર માઠી અસર પડતી હોય છે.
✨ ઉપદ્રવની શરુઆત થતા જ ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૨૦ મિલિ અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૨૦ મિલિ અથવા ઇટોક્ઝાઝોલ ૧૦ એસસી ૧૦ મિલિ અથવા સ્પાઇરોટેટ્રામેટ ૧૧.૦૧% + ઇમિડાક્લોપ્રિડ ૧૧.૦૧% એસસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.