AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણમાં ડૂંખ અને ફળ કોરીખાનાર ઇયળનું વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણમાં ડૂંખ અને ફળ કોરીખાનાર ઇયળનું વ્યવસ્થાપન
સંકલિત વ્યવસ્થાપન (આઇપીએમ):  પ્રતિકારકશકિત ધરાવતી જાતની પસંદગી કરવી.  ચીમળાઇ ગયેલી ડૂંખો ઇયળ સહીત તોડીને જમીનમાં દાટી દેવી.  સેન્દ્રીય ખેતી કરતા ખેડૂતોએ ફેરોમોન ટ્રેપ ૧૦-૧૨ પ્રતિ એકરે મૂકવા.  ઉપદ્રવની શરુઆતે વનસ્પતિજ્ન્ય કીટનાશક દવાઓનો ઉપયોગ કરવો.  ગૌ-મૂત્ર (૨૦%) અને લીમડા, સીતાફળ, રતનજ્યોત કે ગંધાતીના પાનમાંથી તૈયાર કરેલ અર્ક (૧૦%)નો છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૫૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઇસી ૪ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૩% +ક્વીનાલફોસ ૨૦% ઇસી ૫ મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીન ૧% +ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% +ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
 દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી.  પાક પૂરો થયા બાદ ઉપાડેલા છોડને ખેતરના શેઢા-પાળા પર ઢગલો ન કરતા તેનો તાત્કાલિક નિકાલ કરવો.  સૂકા છોડનો ઢગલો કર્યો હોય તો તેને એગ્રોનેટથી ઢાંકી દો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
552
1
અન્ય લેખો