એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રીંગણની ફળ કોરી ખાનાર ઈયળ
🍆 ઉનાળુ રીંગણની રોપણી જો મોડી કરેલ હશે તો ચોક્ક્સ આ ઇયળનો ત્રાસ અસહ્ય રહેશે.
🍆 વધુ પડતા પિયત અને નાયટ્રોજનયુક્ત ખાતરોના વપરાશને કારણે આ ઇયળનો ઉપદ્રવ વધતો રહેશે.
🍆 ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો જરુરિયાત મુજબ લીમડા આધારિત મળતી તૈયાર દવાઓ (એઝાડીરેક્ટીન ૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી દવા @ ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે)નો છંટકાવ કરવો.
🍆 અન્ય ખેડૂતો આ ઇયળના નિયંત્રણ માટે એમામેક્ટીન બેન્ઝોએટ 5 એસજી 5 ગ્રામ પ્રતિ 10 લિ. પાણી પ્રમાણે છંટકાવ કરવાનો આગ્રહ રાખવો.
🍆 દવાના અવશેષોને ગણત્રીમાં લેતા 3 થી 7 દિવસનો ગાળો વિણી અને દવાના છંટકાવ વચ્ચે રાખવો.