આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણની ફળ અને થડ કોરી ખાનાર ઇયળ નું નિયંત્રણ
દરેક વીણી વખતે સડેલા અને ઇયળથી નુકસાન પામેલ ફળ ભેગા કરી વ્યવસ્થિત નિકાલ કરો. નુકસાન વધારે હોય તો વીણી કર્યા પછી ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી ૪ મિલિ અથવા ઈમામેક્ટીન બેન્ઝોએટ ૫% ડબ્લ્યુજી ૪ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫% વેપા ૧૫ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૧% +ટ્રાઇઝોફોસ ૩૫% ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો