AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણની ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળનું જીવન ચક્ર
રીંગણમાં આવતી જીવાતોમાં આ ઇયળ મુખ્ય ગણાય છે જેનાથી અંદાજિત ૩૦-૪૦ ટકા જેટલું નુકસાન થતુ હોય છે. જીવન ચક્ર: ઇંડા: માદા ફૂંદી ૮૦-૧૨૦ જેટલા આછા-સફેદ રંગના ઇંડા પાનની નીચે અને ફૂલો ઉપર મુકે છે અને જેની અવસ્થા ૩-૫ દિવસની હોય છે. ઇયળ: ઇંડામાંથી નીકળતી નાની ઇયળ આછા સફેદ રંગની હોય છે અને મોટી થતા આછી ગુલાબી રંગની હોય છે. ઇયળ અવસ્થા ૯-૨૮ દિવસની હોય છે. કોશેટા: મોટી પુખ્ત ઇયળ ફળ કે ડૂંખમાંથી બહાર આવી જમીન ઉપર ખરી પડેલ પાંદડાં ઉપર કોશેટા અવસ્થા ધારણ કરે છે જે ૬-૧૭ દિવસની હોય છે. પુખ્ત: કોશેટામાંથી નીકળતા ફૂંદા સફેદ રંગના અને શરીર ઉપર ભુખરા-કાળા ડાઘા જોવા મળે છે. આ અવસ્થા ૭-૧૦ દિવસની હોય છે.
નુકસાનના ચિન્હો: • ઇંડામાંથી નીકળતી ઇયળો શરૂઆતમાં છોડ નાનો હોય ત્યારે ડૂંખમાં દાખલ થઇ અંદરનો ગર્ભ ખાય છે જેથી ડૂંખો ચીમળાઇ જાય છે. • જયારે ફળ બેસે ત્યારે નાની ઇયળો વજ્રમાં દાખલ થઇને ફળનો અંદરનો ગર્ભ કોરી ખાય છે અને કાણાંમાંથી તેની હગાર બહાર નીકળે છે. જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી. • ઇયળનો વિકાસ પૂર્ણ થતા ફળમાં કાણું પાડી કોશેટામાં જવા માટે બહાર નીકળી આવે છે જેથી ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે. નિયંત્રણ: • નુકસાન પામેલ રીંગણ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઉંડો ખાડો કરી દાટી દેવી. • ફેરોમોન ટ્રેપ પ્રતિ એકરે ૧૦ની સંખ્યામાં મુકવા. • ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો. • ઇયળ અવસ્થામાં ટ્રેથેલા ફ્લેવુરબીટાલીસ નામની ભમરી દ્વારા ૫૫ ટકા જેટલું પરજીવીકરણ થતું હોય છે. • ગૌ-મૂત્ર ૨૦ ટકાની સાંદ્રતા સાથે લીમડા, સીતાફળ, રતનજ્યોત કે ગંધાતીના પાનમાંથી તૈયાર કરેલ ૧૦% અર્ક મિશ્ર કરી છંટકાવ કરવો. • વધુ ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિલિ અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૧૦ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ વેગ્રે ૪ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રામ અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. • દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
29
0