AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણના પાકમાં ગઠિયા પાનની નુકશાની અને તેનું નિયત્રણ.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
રીંગણના પાકમાં ગઠિયા પાનની નુકશાની અને તેનું નિયત્રણ.
👉 ખેતરમાં એક ખાસ પ્રકારનો રોગ જોવા મળે છે જેનો ફેલાવો મુખ્યત્વે લીલા તડતડિયા નામની જીવાત દ્વારા થાય છે. આ રોગના લક્ષણો સ્પષ્ટ હોય છે – પાંદડાની ડાંડી ખૂબ જ નાની થઈ જાય છે, અને પાંદડાં પણ સામાન્ય કરતા ઘણાં નાનું અને પિળાશ પડતું દેખાય છે. સમયસર ધ્યાન ન આપીએ તો આવા રોગગ્રસ્ત છોડ પર ફૂલો કે ફળો વિકાસ પામતા નથી, જેને કારણે ખેડૂતને ઉપજમાં મોટું નુકસાન થાય છે. 👉 આ રોગની શરુઆત જોતા જ ખેતરમાંથી આવા ભેદી અને વિકારગ્રસ્ત છોડ તાત્કાલિક બહાર કાઢી નાશ કરવો જરૂરી છે, જેથી જીવાત અને રોગનો વધુ ફેલાવો અટકાવી શકાય. 👉 નિયંત્રણ માટે, ક્રુઝર (થાયામેથોકઝામ 25% WG) 8 ગ્રામ પ્રતિ પંપq દવા છાંટવી જરૂરી છે. સાથે જ, છોડના સારા વિકાસ માટે સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો જોઇએ. 👉 આ પગલાં લીધા તો જીવાતનું નિયંત્રણ થશે અને છોડ ફરીથી તંદુરસ્ત વિકાસ કરી શકશે. સમયસર નિયંત્રણ અને યોગ્ય દવાના ઉપયોગથી નુકસાન અટકાવી શકાય છે. ✅સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"
0
0
અન્ય લેખો