AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ
કૃષિ વાર્તાAgrostar
રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ
નવી દિલ્હી: ખેડુતોની આવક બમણી કરવાના પ્રયત્નોના ભાગરૂપે 11 સપ્ટેમ્બરથી ઉત્તર પ્રદેશના મથુરામાં “રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ” કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. પશુધનમાં ખરવા- મોવાસા રોગ અને બ્રુસેલોસિસ નાબૂદ કરવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 100 ટકા ભંડોળ પૂરું પાડવામાં આવશે અને 2024 સુધીમાં પાંચ વર્ષના સમયગાળા માટે રૂ. 12,652 કરોડનો ખર્ચ થવાની ધારણા છે. આ પ્રોગ્રામ દ્વારા 50 કરોડ ગાય, ભેંસ, બકરી, ઘેટાં અને ભૂંડનું રસીકરણ કરવામાં આવશે. બ્રુસેલોસિસ નાબૂદ માટે 6.6 મિલિયન માદા વાછરડાઓનું રસીકરણ કરવાનો પણ કાર્યક્રમનો હેતુ છે. કાર્યક્રમના બે ઘટકો છે: 2025 સુધીમાં રોગને નિયંત્રણમાં રાખવું અને 2030 સુધીમાં રોગને દૂર કરવો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દિવસે રાષ્ટ્રીય કૃત્રિમ બીજદાન કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. દેશના તમામ 687 જિલ્લાઓમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં રાષ્ટ્રવ્યાપી વર્કશોપ પણ શરૂ કરવામાં આવશે. સંદર્ભ: Agrostar, 10 સપ્ટેમ્બર, 2019
61
0
અન્ય લેખો