એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાયડા ની વાવણી ક્યારે કરશો?
🌱 કૃષિ યુનિ. દ્વારા થયેલ સંશોધન અને પરિણામો ઉપરથી ફલિત થયેલ છે જો રાયડાની વાવણી 📅 ઓક્ટોબર 15 થી નવેમ્બર 15 સુધી કરી દેવામાં આવે તો આ પાકમાં આવતી મોલોનો ઉપદ્રવ નહિવત રહેતો હોય છે.
🌱 તેમ છતા ખેડૂતોને જે તે સમયે વાતાવરણ અનૂકળતા છે કે કેમ? તે પણ ધ્યાને લેવાની સલાહ આપવામાં આવેલી છે.
🌱 વધુમાં આપ જ્યારે પણ રાયડાની વાવણી કરો ત્યારે તેને ઇમિડાક્લોપ્રિડ ૭૦ ડબલ્યુએસ દવા ૭ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બિયારણ પ્રમાણે બીજની માવજત આપીને કરવી કે જેથી શરુઆતમાં ઉપદ્રવ કરતી રાઇની માખીની ઇયળને મહદઅંશે અટકાવી શકાય
રાયડાના પાક માં ખાતરની માહિતી જાણવા માટે જુઓ આ વિડીયો https://youtu.be/XmA9xnJwDYk
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ..
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.