સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાજગરા ની ખેતી પદ્ધતિ !
જાતો :
👉ગુજરાત રાજગરો -૧ અને ગુજરાત રાજગરો - ર જાત સમગ્ર ગુજરાત રાજ્યમાં વાવેતર માટે ભલામણ કરેલ છે .
વાવેતર સમય :
👉સમયસરની વાવણી કરવી એ સફળ ખેતી માટેનો મહત્ત્વનો મુદ્દો છે.
👉નવેમ્બર માસમાં ઠંડીની શરૂઆત થાય ત્યારે વાવેતર કરવાની ભલામણ છે.
બિયારણનો દર :
👉એક હેકટર વિસ્તારમાં વાવેતર કરવા માટે ૨.૫ થી ૩ કિલો બિયારણની જરૂરિયાત રહે છે.
વાવેતર અંતર :
👉રાજગરાની વાવણી પુંખી ને ન કરતા તરફેણ અથવા વાવણિયાથી કરવી, બે ચાસ વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી.નું અંતર રાખીને વાવેતર કરવાની ભલામણ છે,
👉બીજ ને જમીનજન્ય કે ફુગજન્ય રોગો થી બચાવવા માટે થાયરામ કે કેપ્ટાન થી ૩ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત કરવી.
અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.