AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રવીમાં ઘઉંની સાથે મુખ્ય અનાજની વાવણીમાં થયો વધારો
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
રવીમાં ઘઉંની સાથે મુખ્ય અનાજની વાવણીમાં થયો વધારો
મુખ્ય રવી પાક ઘઉંની સાથે મુખ્ય અનાજની વાવણીમાં વધારો થયો છે, પરંતુ કઠોળની વાવણી હજુ પણ પાછળ ચાલી રહી છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ વર્તમાન રવીમાં પાકની વાવણી વધીને 418.47 લાખ હેક્ટર થઈ છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 413.36 લાખ હેક્ટરથી વધુ હતી. મુખ્ય રવી પાકના ઘઉંનું વાવેતર ચાલુ સીઝનમાં વધીને 202.54 લાખ હેક્ટર થયું છે, જ્યારે ગયા વર્ષ સુધીમાં 194.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ચાલુ સીઝનમાં કઠોળનું વાવેતર 105.16 લાખ હેક્ટરમાં
થયું છે, જ્યારે ગયા વર્ષે આ સમય સુધીમાં 111.90 લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયું હતું. રવી કઠોળનો મુખ્ય પાક ચણાનું વાવેતર ગત વર્ષે 76.54 લાખ હેક્ટરથી ઘટીને 71.77 લાખ હેક્ટર થયું છે. દાળની વાવણી ચાલુ રવીમાં 12.12 લાખ હેક્ટર અને વટાણાની 7.24 લાખ હેક્ટરમાં થઇ છે. અદડ અને મગનું વાવેતર અનુક્રમે 3.69 અને 1.09 લાખ હેકટરમાં થયું છે જ્યારે ગયા વર્ષ સુધીમાં તેઓ અનુક્રમે 3 અને 1.15 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. સંદર્ભ- આઉટલુક એગ્રીકલ્ચર, 6 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
125
0