સમાચારVTV ગુજરાતી
મહિને માત્ર 28 રૂપિયા જમા કરશો તો મળશે 4 લાખનો ફાયદો !
• બેંકના ખાતાધારકો માટે કામના સમાચાર
• માત્ર 28 રૂપિયા જમા કરીને મેળવો 4 લાખ
• આ સરકારી સ્કીમમાં મળશે ફાયદો
• બેંક તેના ગ્રાહકોને ઘણાં લાભ આપી રહી છે. જોકે, એવા ઘણાં ગ્રાહકો છે જેમને તેના વિશે ખબર નથી. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે દર મહિને માત્ર 28.5 રૂપિયા જમા કરીને 4 લાખ રૂપિયાનો લાભ લઈ શકો છો.
4 લાખ નો લાભ :
• 4 લાખનો લાભ મેળવવા માટે તમારે સરકારની બે યોજનાઓમાં રોકાણ કરવું પડશે. આ યોજનાઓ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ બે યોજનાઓમાં વાર્ષિક માત્ર 342 રૂપિયા જમા કરવા પડે છે.
• જન ધન ગ્રાહકોને બેંક 2 લાખ રૂપિયા સુધીના આકસ્મિક વીમા કવરની સુવિધા મળી રહી છે.
• પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ યોજના હેઠળ વ્યક્તિને જીવન કવર મળે છે. જો વીમાધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ રકમ તમારા બેંક ખાતામાંથી ECS દ્વારા લેવામાં આવે છે.
• પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના યોજના ખૂબ જ ઓછાં પ્રીમિયમમાં જીવન વીમો આપે છે. તમને જણાવી દઈએ કે PMSBY કેન્દ્ર સરકારની એક યોજના છે, જેના હેઠળ ખાતાધારકને માત્ર 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે.
• વીમાની વિસ્તૃત માહિતી માટે નજીકની શાખાનો સંપર્ક કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : VTV ગુજરાતી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.