સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચી માટે ધરવાડીયું અને બીજ પસંદગી !
👉 જમીનની તૈયારી :
👉 ધરૂવાડીયા માટે પસંદ કરેલ જમીનને ઉનાળામાં ઊંડી ખેડ કરીને તપાવવી
👉 મે મહિના દરમ્યાન પાણી આપી ઓરવણ કરવું
👉 વરાપ થયા બાદ જમીનને આડી - ઊભી બે થી ત્રણ વખત ખેડ કરવી.
👉 રાબિંગ કરવું ( જમીન ઉપર ઘઉંનું ભૂંસુ કે બાજરીનું કચરુ અથવા નકામું ઘાસ પાથરી બે ઇંચ જેટલો થર બનાવવો આ ઘાસના થરને પવનની વિરુધ્ધ દિશામાં સળગાવવું જેથી જમીન ધીમા તાપે લાંબો સમય સુધી તપે આને રાબીગ કહેવામાં આવે છે)
👉 રાબિંગ કરવાથી જમીનમાં રહેલ ફૂગ, જીવાણુ, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નીંદામણના બીજનું નિયંત્રણ કરી શકાય.
👉 સોઈલ સોલેરાઇઝેશન કરવું.
બીજની પસંદગી અને વાવણી :
➡️ હંમેશા શુધ્ધ અને નવા બિયારણનો જ ઉપયોગ કરવો.
➡️ પસંદગીની જાતનું, ખાતરીવાળુ શુધ્ધ, વિકાસ પામેલ અને પુરતી સ્કૂરણ શકિતવાળું બીજ પસંદ કરવું
➡️ ફેરરોપણી માટે જરૂરિયાત કરતા 15 થી 20 ટકા વધારાના ધરૂ છોડ તૈયાર કરવા
➡️ ભલામણ મુજબ જ બીજ દર રાખવો
➡️ વધારે બીજદર રાખવાથી ધરૂનો ઉગાવો મોડો થાય છે
➡️ છોડ પાતળા, ઊંચા તથા પમરૂ થઈ જાય છે અને ધરૂનો કહોવારો આવવાની શકયતા વધી જાય છે
➡️ બીજની રોપણી કરતા પહેલા ગાદી કયારામાં હળવું પાણી આપવું
👉 બીજનો દર અને ધરૂઉછેરનો સમય :
👉 ચોમાસુ : જૂન-જુલાઈ
👉 બીજ દર : ૧૦૦ થી ૧૨૦ ગ્રામ/એકર
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.