એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચી ના ધરૂવાડિયા માં કોહવારો !
આ રોગ જમીનજન્ય ફુગના કારણે થાય છે. જે,બીજ ઉગ્યા પહેલા અને અને પછી એમ બે પ્રકારે થાય છે. આ રોગ માં બીજ સડી/કોહવાઈ જાય છે જેથી તેનું સ્ફુરણ થતું નથી. બીજ ઉગ્યા પછી,છોડ પીળાશ પડે છે, થડ નો જમીન પાસે નો ભાગ બદામી,પાણીપોચાં ડાઘ જોવા મળે છે. રોગ નું પ્રમાણ વધારે જણાય તો છોડ કોહવાઈ ને ચીમળાઈ જાય છે.
આ રોગ ના નિયંત્રણ માટે જરૂરી પગલાં :
• ધરૂવાડિયામાં પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
• કોપર ઓક્સીકલોરાઇટ 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
મરચી ધરું ઉછેર કરવાની પદ્ધતિ જાણવા માટે આ વિડીયો જુઓ https://youtu.be/qtgv07LUCTQ
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.