ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મરચીના પાકમાં કરો વાયરસનું નિયંત્રણ
🌱હાલના બદલાતા વાતાવરણ પ્રમાણે મરચી માં થ્રીપ્સ નો પ્રશ્ન જોવા મળે છે. આ જીવાત ના લીધે પાક માં ઘણું નુકશાન થાય છે,તો ચાલો જાણીએ થ્રીપ્સ ના સચોટ નિયંત્રણ વિશે!!
🫑મરચીના પાકમાં પાન કોક્ડવા વાયરસ ના રોગ માટે જવાબદાર થ્રીપ્સ નામની જીવાત છે. આ જીવાત કુમળા પાનમાં ધસરકા કરીને રસ ચૂસે છે.
🫑પરિણામે પાનમાં વિકૃતિ જોવા મળે છે. વાયરસ ને ફેલાવવામાં પણ આ જીવાતનો ફાળો વિશેષ છે.
આથી થ્રીપ્સનું નિયંત્રણ કરવું ખુબજ જરૂરી છે.
નુકશાન
🫑મરચી ના પણ કોકાડાય જવાથી છોડનો વાનસ્પતિક વિકાસ રૂંધાય છે. છોડના માથા બંધાય જાય છે જેના કારણે ફૂલ આવતા નથી અને આવે તો ખરી જાય છે. મરચાના ફળ ની ગુણવત્તા જળવાતી નથી અને વજનમાં પણ ફરક પડે છે.
🫑આ જીવાત ના સચોટ નિયંત્રણ માટે ફિપ્રોનીલ 80 % ડબલ્યુજી ઘટક ધરાવતી એગ્રોનીલ 80% દવાનો ૫ ગ્રામ પ્રતિ પંપ અને સ્ટીકર 5 મિલી પ્રતિ પંપ પ્રમાણે.તથા છોડ ના સારા વૃદ્ધિ વિકાસ માટે સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિક્ષ કરીને છંટકાવ કરવો.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!