AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મધમાખીપાલન – રોજગારીની એક નવી તક !
નઈ ખેતી, નયા કિસાનAgrostar
મધમાખીપાલન – રોજગારીની એક નવી તક !
👉 ખેતી સાથે સંકળાયેલા યુવાન અથવા લઘુ ઉદ્યોગ દ્વારા રોજગારી મેળવવા માટે મધુપાલન ખુબજ સારો વ્યવસાય છે. જેમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે.જેમાં મધ અને મીણ ઉત્પન્ન થાય છે. જો ખેતીના વ્યવસાય પર નજર કરવામાં આવે તો લગભગ ૪૦ ટકા જેટલા ખેડૂતો આ વ્યવસાયથી સંતુષ્ટ નથી. બિયારણ અને ખાતરના વધતા ભાવ તથા ખેતપેદાશોના અર્થક્ષમ ભાવ ન મળવા જેવા કારણો આ માટે જવાબદાર છે. આ પરિસ્થિતીમાં ખેડૂતો માટે એવું જરૂરી બને કે જેમાં ખેતીની સાથે વધારાની આવક પણ મળી શકે. જેમાં મધમાખી પાલન વધુ આવકના વિકલ્પ તરીકે સાબિત થઇ શકે છે. મધમાખીપાલન થી મળતી આવક 👉 જો ખેડૂત પોતાના ખેતરમાં ૧૦ મધમાખી પેટી લગાવે તો કુલ ખર્ચ ૫૦,૦૦૦ થાય (એક પેટીનો ભાવ ૫,૦૦૦). એક મધમાખીની પેટીમાંથી વર્ષ દરમ્યાન ૪૦ કીલો મધ મળે તો ૧૦ પેટીમાંથી કુલ ૪૦૦ કીલો મધ મળે. એક કીલો મધનો અંદાજીત બજાર ભાવ ૪૦૦ રૂપિયા હોય તો કુલ ૪૦૦ કીલો મધનો ભાવ ૧,૬૦,૦૦૦ થાય. આ મુજબ ૧,૬૦,૦૦૦ ની આવક સામે ખર્ચ ૫૦,૦૦૦ થાય જેથી ચોખ્ખો નફો ૧,૧૦,૦૦૦ મળે. મધમાખીપાલન માટે જગ્યાની પસંદગી 👉 મધમાખી ઉછેરની આસપાસની જગ્યા સાફ તેમજતે સ્થળ ખુલાણવાળું, સૂકૂં,સૂર્યપ્રકાશથી રક્ષણ આપે તેવું અનેબગીચાની નજીક હોવું જોઇએ જ્યાં આસપાસ ફૂલોનો રસ, પરાગરજ અને પાણી પ્રાપ્ય હોય. કીડી, ઉંદર, ગરોળી, કાચીંડો વગેરે મધમાખીના દુશ્મન છે. તોજ્યાં મધપૂડાનું સ્ટેન્ડ હોય ત્યાં આસપાસ આવેલ કિડિયારાં ભરી દેવામાં આવે છે. મધમાખીઓની કોલોનીઓ હંમેશા પૂર્વ દિશામાં રાખવી જોઇએ જેથી તડકા અને વરસાદ સામે રક્ષણ મળી શકે.ધણ, અન્ય પ્રાણીઓ, ખૂબ જ વાહનવ્યવહાર યુક્ત રસ્તાઓ અને લાઇટોથી તેને દૂર રાખવું જોઇએ. મધમાખીપાલન પૂર્વે કરવાની તૈયારી 👉 મધમાખી પાલન પૂર્વે માણસ અને મધમાખીનો સંબંધ જાણવો ખુબ જરૂરી છે જેમાં મધમાખીની વર્તણુંકનો અભ્યાસ કરવો જરૂરી છે કેમ કે મધમાખીના દંશ મારવાની વાત સામાન્ય છે. એકવાર મધમાખી અને માણસ વચ્ચેના સંબંધને ઓળખ્યા બાદ જ મધમાખી પાલનનો વ્યવસાય કરવો જોઈએ. ત્યારબાદ મધમાખી પાલનમાં ઉપયોગી ઉપકરણો અને પેદાશો માટે એક યોજના બનાવવી જોઈએ. આ ઉપરાંત તેમાંથી મળતી પેદાશોના વેચાણ માટે પેલાથી જ બજારમાં ગ્રાહકો શોધવા જરૂરી છે. સામાન્ય રીતે બેકરીવાળા તથા ચોકલેટ બનાવનાર મધનો વધુ ઉપયોગ કરતા હોય છે જેથી તેનો સંપર્ક કરવો પણ આવશ્યક છે. મધમાખીપાલન શરુ કરતા પૂર્વેની આવશ્યકતા આ મુજબ છે. મધમાખી પાલનની જાણકારી તથા તેનું પ્રશિક્ષણ, આ માટેનાં પ્રશિક્ષણ માટે કૃષિ વિશ્વવિદ્યાલય અથવા ખેતીવાડી ખાતાનો સંપર્ક કરવો જોઈએ. સ્થાનિક અનેપ્રવાસી મધમાખીની જાણકારી અનેજરૂરિયાત મધમાખીનું પ્રબંધન 👉 મધમાખીની પેટી ખેતરની નજીકમાં લગાવવી જોઈએ જેથી મધમાખીને સહેલાઇથી ખોરાક મળી રહે તેમજજ્યાં ૧૦ ટકા પાકમાં ફૂલ અવસ્થા હોય. ઇટાલીયન મધમાખીની ૩ તથા ભારતીય મધમાખીની ૫ પેટી પ્રતિ હેક્ટર રાખવી. ઓગષ્ટ તથા સપ્ટેમ્બર મહિનાઓમધમાખી પાલનની શરૂઆત માટે યોગ્ય માનવામાં આવે છે. મધ નીકાળવાની પ્રક્રિયા, ફૂલ અવસ્થા વીત્યા બાદ યોગ્ય ઉપકરણોનો ઉપયોગ કરી કરવી. અનુકુળ વાતાવરણ 👉 ફૂલોની ખેતી સાથે આ વ્યવસાય વધુ ઉપયોગી પુરવાર થાય છે. જેનાથી ૨૦ થી ૮૦ ટકા સુધી ઉત્પાદનમાં વધારો થાય છે. સુર્યમુખી, ગાજર, મરચા, સોયાબીન, ફળપાકો જેવા કે લીંબુ, આમળા, પપૈયા, જામફળ, આંબો, સંતરા, મોસંબી, દ્રાક્ષ જેવા વવાતા પાકના વિસ્તારમાં આ વ્યવસાય વધુ ઉપયોગી નીવડે છે. મધમાખીપાલન માટે શિક્ષણની આવશ્યકતા 👉 મધમાખી પાલન માટે યોગ્ય સંસ્થામાંથી શિક્ષણ લેવું જરૂરી છે. જેમાં મધ ઉત્પાદન કરવા માટેનું યોગ્ય વાતાવરણ, તે માટેના યોગ્ય ઉપકરણોની જાણકારી, ઉત્પાદન માટેની તરકીબો, વધુ મધ આપતી મધમાખીની જાતની જાણકારી વગેરે જેવું શિક્ષણ આપવામાં આવે છે. 👉 મધમાખીપાલન વિષે શિક્ષણ આપતી સંસ્થા ૧. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી ૨. રાષ્ટ્રીય મધમાખી કેન્દ્ર, ૩. બી ઇન્સ્ટીટયુશન એરિયા, નવી દિલ્હી ૪. જ્યોતિ ગ્રામોદ્યોગ સંસ્થા, સહરાનપુર ૫. મધમાખી પાલન અને શોધ સંસ્થા, હરિયાણા ૬. મધમાખી પ્રશિક્ષણ કેન્દ્ર, નૈનીતાલ 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agrostar. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
0