સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળી માં પિયત અને નીંદણ વ્યવસ્થાપન !
👉 પિયત વ્યવસ્થાપન
ભારે કાળી જમીનમાં ઉનાળુ મગફળીનું વધુ ઉત્પાદન મેળવવા 7 પિયત આપવાની ભલામણ છે.
👉 વાવણી બાદ તરત જ
👉 એક અઠવાડિયા બાદ
👉 ચાર અઠવાડિયા બાદ
👉 બાકીના 4 પિયત 13 થી 15 દિવસના અંતરે આપવા.
નીદણ વ્યવસ્થાપન :
👉મગફળીના પાકને 45 દિવસ સુધી નિંદામણ મુકત રાખવા બે આંતરખેડ તથા હાથથી નિંદામણ કરવું જરૂરી છે.
👉 જયાં મજુરોની અછત હોય ત્યાં નિંદામણ નિયંત્રણ માટે પેન્ડીમેન્થાલીન 30% @100 મીલી પ્રતિ 15 લીટર પાણીમાં ઓગાળી વાવણી બાદ તરત જ બિયારણના સ્ફુરણ પહેલાં પાછા પગે ચાલીને જમીન પર છંટકાવ કરવો.
👉 એક એકરમાં 10 પંપ અવશ્ય કરવા.
👉આ ઉપરાંત 30 થી 35 દિવસે એક આંતરખેડ અને એક હાથ નિંદામણ કરવાની ભલામણ છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.