AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાન માટે ₹1,20,000 ની સહાય, જાણો કેમ કરવી અરજી !
યોજના અને સબસીડીખિસ્સું
મકાન માટે ₹1,20,000 ની સહાય, જાણો કેમ કરવી અરજી !
🏠 ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ નાગરિકોને મકાન સહાય આપવામાં આવે છે. યોજનાની ઓનલાઈન અરજી ઇ-સમાજ કલ્યાણના પોર્ટલ થી કરવાની રહેશે. યોજનાનો હેતુ : 🏠 ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹120000 ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે. સહાય પૈકી પ્રથમ હપ્તો- 40000, બીજો હપ્તો- 60000 અને ત્રીજો હપ્તો- ₹20000 આપવામાં આવે છે. નિયમો અને શરતો : ➡ લાભાર્થી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ. ➡ ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ : ✔ અરજદારનું આધાર કાર્ડ ✔ રાશનકાર્ડ ✔ જાતિ/પેટા જાતિ નો દાખલો ✔ વાર્ષિક આવકનો દાખલો ✔ રહેઠાણનો પુરાવો ✔ જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/ હક્ક પત્રક ✔ રદ ચેક ✔ મકાન બાંધકામ ચિઠ્ઠી ✔ અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું 📢 યોજનાના ઑન્લીર્ન ફોર્મ ભરવા માટે આપેલ લિંક પર ક્લિક કરો 👉🏼 https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?ServiceID=wq9yJJOft1lYsNrpPOIhhQ== સંદર્ભ : ખિસ્સું, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
19
અન્ય લેખો