એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મકાઇમાં ચાર ટપકાંવાળી ઇયળ?
👉 જે ખેડૂતોએ મકાઇની વાવણી મોડી કરી છે અને હાલ પાક ૨૫-૩૦ દિવસનો થયો હોય તો તેવા પાકમાં આ ઇયળ છોડની ભૂંગળીમાં રહીને નુકસાન કરી શકે છે.
👉 આવા નુકસાનવાળા છોડ આગળ વધતા નથી.
👉 ઉપદ્રવની શરુઆત થાય કે તરત જ ચપટી-ચપટી રેતી કે માટી દરેક છોડની ભૂંગળીમાં નાંખી દેવી.
👉 તેમ છતા ઉપદ્રવ વધતો જણાય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એઅસી ૧૦ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા થાયોમેથોક્ઝામ ૧૨.૬ + લેમ્ડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૩ મીલી પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.