કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ભાવ ઘટાડવા માટે સરકાર ડુંગળી, ટામેટાં અને કઠોળની સપ્લાય વધારશે
કેન્દ્ર સરકાર ડુંગળી અને ટામેટાં તેમજ કઠોળની સપ્લાયમાં વધારો કરશે, જેથી તેમના ભાવ ઘટાડી શકાય. ગ્રાહક
બાબતોના સચિવ અવિનાશ કે શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક મળી.
સરકાર કેન્દ્રિય સ્ટોર્સ દ્વારા કઠોળના વેચાણમાં વધારો કરશે. કેન્દ્રિય સ્ટોર્સ તુવેર દાળ 86 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચે
છે તથા નાફેડ કેન્દ્રીય સ્ટોર્સ, સફલ અને એનસીસીએફને કઠોળ 80 થી 85 રૂપિયા પ્રતિ કિલો વેચવાની સૂચના આપી છે.
નાફેડમાં કઠોળનો સ્ટોક વધુ છે. કેન્દ્ર સરકારે નાફેડને એવા સ્થળોએ કઠોળ વેચવાનો નિર્દેશ આપ્યો છે જ્યાં ભાવ સરેરાશ
કરતા વધારે હોય છે.
બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ટામેટાનો ભાવ અગાઉની તુલનામાં નીચે આવ્યો છે અને વધુ ઘટાડો થવાની ધારણા
છે. ખરીફ ડુંગળીની આવક વધી છે અને ભાવ પહેલાથી જ નીચે આવી રહ્યા છે. નાફેડે કહ્યું કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પૂરી
થઈ છે તેથી ડુંગળીનું આગમન વધુ વધશે.
સંદર્ભ- આઉટલુક એગ્રિકલ્ચર, 23 ઓક્ટોબર 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો