AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભાગ-II જૈવિક ખાતર દ્વારા છોડનું સ્વાસ્થ્ય સુધારો
જૈવિક ખેતીખેતી બધાં માટે
ભાગ-II જૈવિક ખાતર દ્વારા છોડનું સ્વાસ્થ્ય સુધારો
સંગ્રહ કરવાની પદ્ધતિઓ • ખાતરને હવાચુસ્ત પાત્રમાં રાખવું અને આ પાત્રને છાંયડામાં અને ઠંડી જગ્યામાં રાખવું. સંગ્રહનો સમયગાળો: • ખાતરને છ મહિના સુધી સંગ્રહી શકાય છે. ઉપયોગ કરવાની પદ્ધતિ: • છંટકાવની પદ્ધતિ – ખાતરને પર્ણસમૂહ પર છંટકાવ દ્વારા વાપરી શકાય છે. • પ્રસરણની પદ્ધતિ – ખાતરના દ્રાવણને સિંચાઇના પાણીમાં ભેળવી, ક્યાં તો ટપક સિંચાઇ દ્વારા અથવા સિંચાઇના પાણીના પ્રસરણ દ્વારા આપી શકાય.
સૂચન: • ઉપયોગમાં લેતા પહેલાં 15 મિલિ એગ લાઇમ ફૉમ્યુલેશનને 1 લિટર પાણીમાં ઓગાળી મંદ દ્રાવણ બનાવો. • એગ લાઇમ ફૉમ્યુલેશનનો ઉપયોગ પંચકવ્ય અથવા વર્મિવૉશ સાથે પણ કરી શકાય છે. ખાતરનો ઉપયોગ: • સામાન્ય રીતે, આ સ્વીકારવામાં આવ્યુ છે કે દર 15 દિવસે ખાતરનો ઉપયોગ કરી શકાય છે. • ખાતરનો છંટકાવ ખાલી વહેલી સવારે અથવા મોડી સાંજે જ કરવો જોઇએ. • વધુ સારુ પરિણામ મેળવવા તેને પંચકવ્ય અથવા વર્મિવૉશ સાથે મિશ્ર કરવું જોઇએ. સંદર્ભ : એગ્રીકલ્ચર ફૉર એવ્રીબૉડી જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
499
1