AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓ Safar Agri Ki
બાજરી ની કેટલીક સમસ્યા નું સમાધાન !
ગાભમારા ની ઈયળ: 📢 નુકશાન પામેલ છોડની ભૂંગળી ઈયળ સાથે ખેંચી તેનો નાશ કરવો. 📢 બિયારણનો દર હેકટરે 5 કિ.ગ્રા.થી વધુ રહેવો નહીં. ડૂંડાંની ઈયળ : 📢 પાક ડુંડા અવસ્થાએ આવે ત્યારે એકરે એક પ્રકાશ પીંજર ગોઠવવું, આકર્ષાયેલાં ફૂદાંનો નાશ કરવો. 📢 ડુંડામાં લીલી ઈયળનું નુકશાન હોય તો ફેરોમેન ટ્રેપ હેકટરે પાંચની સંખ્યામાં ગોઠવવાં. કાંસીયા : 📢 છોડ પરથી કાંસીયા ખંખેરી કેરોસીનવાળા પાણીમાં એકઠાં કરી તેનો નાશ કરવો. 📢 પ્રકાશ પીંજરનો ઉપયોગ કરવો. 🐦પક્ષીથી રક્ષણ : 📢 પક્ષીઓ દ્રારા થતું નુકશાન અટકાવવા દુધીયા દાણાં અવસ્થાએ ચમકતી પટ્ટીઓ ( રીબીન ) ગોઠવવી. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
3
અન્ય લેખો