સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બાજરી ની કેટલીક સમસ્યા નું સમાધાન !
ગાભમારા ની ઈયળ:
👉 નુકશાન પામેલ છોડની ભૂંગળી ઈયળ સાથે ખેંચી તેનો નાશ કરવો.
👉 બિયારણનો દર હેકટરે 5 કિ.ગ્રા.થી વધુ રહેવો નહીં.
ડૂંડાંની ઈયળ :
👉 પાક ડુંડા અવસ્થાએ આવે ત્યારે એકરે એક પ્રકાશ પીંજર ગોઠવવું, આકર્ષાયેલાં ફૂદાંનો નાશ કરવો.
👉 ડુંડામાં લીલી ઈયળનું નુકશાન હોય તો ફેરોમેન ટ્રેપ હેકટરે પાંચની સંખ્યામાં ગોઠવવાં.
કાંસીયા :
👉 છોડ પરથી કાંસીયા ખંખેરી કેરોસીનવાળા પાણીમાં એકઠાં કરી તેનો નાશ કરવો.
👉 પ્રકાશ પીંજરનો ઉપયોગ કરવો.
પક્ષીથી રક્ષણ :
પક્ષીઓ દ્રારા થતું નુકશાન અટકાવવા દુધીયા દાણાં અવસ્થાએ ચમકતી પટ્ટીઓ ( રીબીન ) ગોઠવવી.
👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.