AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બજારમાં આવી ગયા છે ઈરાન ઈરાક અને સાઉદી અરબથી ખજુર
કૃષિ વાર્તાપુઢારી
બજારમાં આવી ગયા છે ઈરાન ઈરાક અને સાઉદી અરબથી ખજુર
મુસ્લિમોના પવિત્ર માસ રમઝાનમાં ખજૂરોનું વિશેષ મહત્વ હોય છે. આ તહેવાર માટે ભારતીય બજારમાં 100% ખજૂરો જોવામાં આવી રહી છે. બજારમાં 50 થી વધુ પ્રકારના ખજૂરો આવ્યા છે જે ઇરાન, ઇરાક અને સાઉદી અરેબિયાથી આયાત કરવામાં આવ્યા છે. તેની કિંમત 70 રૂપિયા/કિલો થી લઈને છે. રૂ. 2000/કિલો જેટલી હોય છે. ગયા વર્ષની સરખામણીમાં ખજૂરના ભાવમાં 10% થી 20% નો વધારો થયો છે.
ખજૂરના ભારતીય વેપારી દિનેશ શેઠે જણાવ્યું હતું કે ભારતમાં વધુ ખજૂરનુંની ખેતી કરવામાં આવતી નથી પરંતુ ખાસ રમઝાન માસ માટે અરબી દેશોમાંથી તેની આયાત કરવામાં આવે છે, તેમણે જણાવ્યું હતું કે હાલમાં ઇરાકથી, બૂમ, માઝાફતી, સાઉદી અરેબિયાથી ફર્ધા, ખલાઝી, લુલુ અને ઇરાકથી ઝાહાદી નામની ખજૂરો મોટા પ્રમાણમાં આયાત થઈ રહી છે. હાલમાં બજારમાં વિવિધ જાતોની ખજૂરો ઉપલબ્ધ છે. તેમાં આઝવા પ્રકારની ખજૂરોની ખૂબ જ માંગ રહે છે કારણ કે આ પ્રકારની ખજૂરના વૃક્ષ ખુદ મોહમ્મદ પેગમ્બર દ્વારા રોપવામાં આવ્યા હતા. લોકો આ પ્રકારના ખજૂરો મધ અને કેસર સાથે લેવાનું પસંદ કરે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર અરબી દેશોનાં ખજૂરો સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સંદર્ભ- પુધારી, 7 મે 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
33
0