AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફળમાખી નું કરો સચોટ નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ફળમાખી નું કરો સચોટ નિયંત્રણ
🍉આ જીવાતની માદા માખી ફૂલ અવસ્થામાં ફળ હોય ત્યારથી શરૂઆત કરીને મોટા ફળોની છાલમાં પોતાનાં ઈંડાં મૂકતી હોય છે. 🍈ઈંડાંમાંથી નીકળતો કીડો પીળાશ પડતો સફેદ રંગનો તથા માથા વિનાનો હોય છે. જે ફળનો ગર્ભ ખાય છે. 🍉જો ફળ ફૂલ અવસ્થામાં હોય તો તે વખતે આવા માદા ફૂલ ખરી પડે છે. 🍈જો મોટા ફળમાં નુકસાન થાય તો આવા ફળોમાં કોહવારો શરૂ થાય છે અને છેવટે આવા ફળો ખરી પડે છે.માખી જ્યાં જ્યાં ઈંડાં મૂકે તે જગ્યાએથી ફળમાંથી રસ ઝરવાનું શરૂ થાય છે. 🍉જે જામી જતા બદામી રંગના ગુંદર જેવું દેખાય છે. જેને “ટુવા” તરીકે ઓળખવામાં આવે છે. 🍈આના કારણે ફળની ગુણવત્તા બગડે છે. આ જીવાત ગરમ વાતાવરણમાં સક્રિય થાય છે જ્યારે શિયાળાની ઋતુમાં નિષ્કીય થઈ જાય છે. સચોટ નિયંત્રણ : •ફળમાખીથી અસર પામેલા અને “ટુવા” પડેલાં ફળો નિયમિત રીતે વીણીને જમીનમાં ૧.૫ થી ૨ ફૂટ ઉંડે ખાડો કરી તેની પર જંતુનાશક પાવડર નાખી દાટી દેવા •વાડીની ચોખ્ખાઈ રાખવી અને પાક લઈ લીધા બાદ જમીનમાં ઊંડી ખેડ કરવી જેથી કોશેટાનો નાશ થાય. •ફળમાખીના નરને આકર્ષીને મારી નાખવા માટે શક્કરટેટી તેમજ તરબૂચમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે “ક્યુર લ્યુર” યુક્ત “ફળમાખી પિંજર” હેક્ટરે ૧૦ થી ૧૫ની સંખ્યામાં પાકથી આશરે ૧ મીટર જેટલી ઉંચાઈએ લટકાવવાથી બેક્ટોસેરા ક્યુકરબીટી નામની ફળમાખીનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ
13
0
અન્ય લેખો