AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્રાણીઓને લૂ લાગવાથી બચાવવા માટે નિવારક પગલાં
પશુપાલનએગ્રોવન
પ્રાણીઓને લૂ લાગવાથી બચાવવા માટે નિવારક પગલાં
લૂ લાગવાના કારણો - • ઉનાળામાં વધારે તાપામાનના કારણે • ઉનાળામાં વાતાવરણમાં વધુ ભેજ • હવાની અવર જવર સારી ણ હોય તેવું પ્રાણી આશ્રય • ગરમ વાતાવરણમાં પ્રાણીઓને ચરવા માટે મોકલવા • ઉનાળામાં પ્રાણીઓનું લાંબા અંતરનું પરિવહન • પીવાના પાણીની અછત લક્ષણો - • શરીરનું તાપમાન વધીને 103 થી 107 ફેરનહીટ ડીગ્રી સુધી થવું. • હૃદયના ધબકારા વધવા. • પ્રાણીઓ જીભ બહાર કાઢે અને શ્વાસ લે, લાળ બહાર કાઢે. • નાકમાંથી સ્ત્રાવ ઝરે. • પ્રાણીઓ તરસ્યા બને. • પ્રાણીઓ બેચેન બને. તેઓ શરીરનું સંતુલન ન જાળવી શકે. • તે ચાલતી વખતે લથડાય છે અને પડી જાય છે. • પ્રાણીઓ બેભાન થાય છે અને મૃત્યુ પામે છે.
પ્રક્રિયા - • પ્રાણી આશ્રય હવાની અવરજવરવાળું હોવું જોઈએ. • પ્રાણી આશ્રય સારી હવા ઉજાસવાળી જગ્યામાં રાખવું જોઈએ અથવા આશ્રયમાં પંખો લગાવો જોઈએ, જેથી હવાની અવરજવર થઇ શકે. • પ્રાણીના શરીરને ભીનું રાખવું,જેથી શરીરનું તાપમાન ઘટે છે. • વધુ માત્રામાં ઠંડુ પાણી પીવા માટે આપવું. • પશુ ચિકિત્સકની સલાહ અનુસાર ઠંડુ ગ્લુકોઝ, સલાઈન આપવું. • બીમાર પ્રાણીઓને છાયડામાં રાખવા જોઈએ. નિવારણ - • તીવ્ર ગરમીમાં પ્રાણીઓને ચરવા માટે મોકલવા નહિ. • ગરમ વાતાવરણમાં પ્રાણીઓનું પરિવહન કરવું નહિ. • પ્રાણીઓના શરીર પરના ખૂબ વધુ વાળ, ઉનને કાઢી નાખવા જોઈએ. સંદર્ભ - એગ્રોવન 18 મે 18
177
0