કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
પી એમ કિસાન યોજના
👉જો તમે પણ પીએમ કિસાન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જે લોકો પાસે પોતાની જમીન અને ખેતી છે તેઓ સરકારના પીએમ કિસાન નિધિ સન્માનના લાભાર્થી છે. જેના માટે સરકાર તેમને વાર્ષિક 6 હજાર રૂપિયા આપે છે. આ નાણાં દર મહિને ખેડૂતોના ખાતામાં જમા થાય છે. સરકારે ખેડૂતોને 2 હજાર રૂપિયાનો 13મો હપ્તો જાહેર કર્યો હતો.
👉જે ખેડૂતોને આ નાણાંની જરૂર નથી તેઓ પણ કિસાન સન્માન નિધિમાં સામેલ છે. આવા ખેડૂતો હવે તેમની ઈચ્છા મુજબ આ નાણાં છોડી શકે છે અથવા પરત કરી શકે છે. જેથી જરૂરિયાતમંદોને આ પૈસા મળી શકે. જણાવી દઈએ કે આ પહેલા પણ લોકોએ તેમની ગેસ સબસિડી છોડી છે. ગેસ સબસિડીની તર્જ પર હવે લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પણ છોડી શકે છે. ચાલો તમને જણાવીએ કે તમે PM કિસાનમાં મળેલા લાભને કેવી રીતે રિફંડ કરી શકો છો.
આ રીતે તમે રિફંડ કરી શકો છો
- સૌથી પહેલા તમારે PM કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
- આ પછી તમે અહીં સ્વૈચ્છિક સરેન્ડર પીએમ કિસાન બેનિફિટ ટેબ જોશો. તેના પર ક્લિક કરો.
- હવે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો. આ પછી કેપ્ચા કોડ અને OTP માટે ક્લિક કરો.
- હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, તેને એન્ટર કરો અને કન્ફર્મ પર ક્લિક કરો.
- હવે તમારી વિગતો સાથેની વિન્ડો ખુલશે. અહીં, તમારા ખાતામાં અત્યાર સુધીમાં કેટલા હપ્તા આવ્યા છે, તેની ગણતરી કરવામાં આવશે.
-હવે તમે નીચે લખેલું જોશો કે ‘રીફંડ કરો અથવા તમારો હપ્તો સરન્ડર કરો
તેના પર ક્લિક કરો અને આગળ વધો.
-આ પછી, તમને આગળનો કોઈ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
👉સંદર્ભ :-Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો