AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીએમ સન્માન નિધિ માં પૈસા કેમ અટકે છે?
સમાચારએગ્રોસ્ટાર
પીએમ સન્માન નિધિ માં પૈસા કેમ અટકે છે?
👉ઘણી વખત અરજી માં થતી ભુલોને કારણે ખેડૂતો ને પૈસા મળતા નથી.અને સન્માન નિધિ યોજના નો લાભ લય શકતા નથી. 👉પૈસા કેમ અટકે છે? PM કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર પાસે કરોડો અરજીઓ આવે છે, પરંતુ તેમાં ઘણી ભૂલો હોય છે જેના કારણે ખેડૂતોના હપ્તા અટકી જાય છે. બેંકની વિગતોથી લઈને ટાઈપિંગ સુધીની ભૂલો હોય છે. ક્યારેક નામ ખોટા પડે છે તો ક્યારેક વિગતો આધાર કાર્ડ સાથે મેળ ખાતી નથી. 👉શું ભૂલો હોઈ શકે છે. ખેડૂત ફોર્મ ભરતી વખતે તમારું નામ અંગ્રેજીમાં લખો. જે ખેડૂતોનું નામ અરજીમાં હિન્દીમાં છે તેઓએ અંગ્રેજીમાં કરવું જોઈએ. જો અરજીમાં અને બેંક ખાતામાં અરજદારનું નામ અલગ હોય તો તમારા પૈસા અટકી શકે છે. જો બેંકનો IFSC કોડ, બેંક એકાઉન્ટ નંબર અને ગામનું નામ લખવામાં ભૂલ થશે તો પણ તમારો હપ્તો તમારા ખાતામાં જમા થશે નહીં. તાજેતરમાં, બેંકોના મર્જરને કારણે IFSC કોડ બદલાયા છે. તેથી અરજદારે નવો IFSC કોડ અપડેટ કરવો પડશે. 👉આવી ભૂલો સુધારવી ભૂલો સુધારવા માટે પહેલા વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ. હવે ‘ફાર્મર્સ કોર્નર’ નો વિકલ્પ પસંદ કરો. અહીં તમે ‘Aadhaar Edit’ નો વિકલ્પ દેખાશે, અહીં આધાર નંબરમાં સુધારા કરી શકો છો. જો બેંક એકાઉન્ટ નંબરમાં ભૂલ હોય, તો તેને સુધારવા માટે કૃષિ વિભાગની ઓફિસ અથવા એકાઉન્ટન્ટનો સંપર્ક કરવો પડશે. 👉સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
18
4
અન્ય લેખો