સમાચારGSTV
પીએમ આવાસ યોજના માટે બહાર પાડયા નવા નિયમો, જાણો જલ્દી !
સરકારે આ યોજનાના નિયમોમાં ખુબ જ મોટા અને મહત્વના ફેરફાર કર્યા છે. એવામાં જો તમને આ નવા નિયમો વિશે ખ્યાલ ના હોય તો તમારી ફાળવણી રદ થઈ શકે છે. જો તમને પણ આ યોજના અંતર્ગત ઘર મળ્યું છે તો જાણી લો કે તેમાં પાંચ વર્ષ રહેવું ફરજિયાત રહેશે, આ નિયમનું પાલન નહિ કરો તો તમારે આ યોજના અંતર્ગત મળેલ ગથાર ગુમાવવું પડશે. હાલમાં આ યોજના અંતર્ગત જે મકાનો લોકોને આપવામાં આવ્યા છે તે કરાર હેઠળ છે, તેના માટે કોઈપણ પ્રકારની રજિસ્ટર કરાવવામા આવી નથી.
🏠 પીએમ આવાસ હેઠળ નિયમો બદલાયા: આ યોજના હેઠળ મળેલા મકાન તમને પાંચ વર્ષના કરાર હેઠળ આપવામાં આવશે. આ સમય દરમિયાન જો સરકારને એવી જાણ થશે કે, તમે આ ઘરમા નથી તો તમારા કરાર રદ થશે અને તમે આ મકાન માટે જે રકમ જમા કરાવવી છે તે પણ જપ્ત થઇ જશે. આ નિયમો આવતા હવે આ યોજનાનો લાભ લઈને અમુક લોકો જે ગેરરીતિપૂર્વક મકાન ભાડે ચડાવી દેતા હતા તે હવે બંધ થશે.
🏠 ઘણા એગ્રીમેન્ટ કરવાના બાકી છે: કાનપુર પહેલું એવું વિકાસ પ્રાધિકરણ છે કે, જ્યાં લોકોને લીઝ પર રજીસ્ટર કરાર હેઠળ ઘરમાં રહેવાનો અધિકાર સોંપવામાં આવી રહ્યો છે. પહેલા તબક્કામાં કેડીએના ઉપપ્રમુખ અરવિંદ સિંહની પહેલ પર આયોજિત શિબિરમાં 60 લોકો સાથે કરાર કરવામાં આવ્યો છે. તે જ સમયે તેમણે જણાવ્યું કે, 10900 થી વધુ લોકો સાથે એગ્રીમેન્ટ કરવાના બાકી છે.
🏠 ફ્લેટ્સ ફ્રી હોલ્ડ રહેશે નહી: આ સિવાય તમને જણાવી દઈએ કે, અમુક નિયમો અને શરતો અનુસાર શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા ફ્લેટ્સ ક્યારેય ફ્રી હોલ્ડ રહેશે નહીં. પાંચ વર્ષ પછી પણ લોકોએ લીઝ પર રહેવું પડશે. તે ફાયદાકારક રહેશે કે જે લોકો પીએમ આવાસ યોજના હેઠળ મકાન ભાડે લેતા હતા તે હવે લગભગ બંધ થઈ જશે.
🏠 નિયમો શું કહે છે? જો કોઈ મકાન માલિક મૃત્યુ પામે છે તો નિયમો અનુસાર લીઝ ફક્ત પરિવારના સભ્યને જ ટ્રાન્સફર કરવામાં આવશે. કેડીએ અન્ય કોઇ સગા-સંબંધી સાથે કોઇ કરાર કરશે નહીં. આ કરાર હેઠળ, ફાળવણીકારોએ 5 વર્ષ માટે મકાનોનો ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ મકાનોની લીઝ ફરી વધારવામાં આવશે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : GSTV.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.