AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 પાકમાં મોલાના પ્રકોપનું સચોટ નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકમાં મોલાના પ્રકોપનું સચોટ નિયંત્રણ
🧑🏻‍🌾હાલના વાતાવરણ ને અનુસાર રાયડા ના પાક માંમોલો મશી નું વધારે પ્રમાણ માં જોવા મળે છે જો આ જીવાત નું સચોટ અને સમયસર નિયંત્રણ કરવા માં ણ આવે તો પાક માં વધારે નુકશાન થાય છે તો ચાલો જાણીએ આ જીવાત અને તેના નિયંત્રણ વિશે!! 🧑🏻‍🌾જયારે ઠંડુ અને સુકું વાતાવરણ હોય ત્યારે મોલાનો પ્રશ્ન આવતો હોય છે. આ જીવાત પાંદડાની નીચેની બાજુએ સુક્ષ્મ સૂંઢ ખોસીને રસ ચૂસે છે. પાન ઉપરાંત કુમળી ડુંખ, ફુલ અને શીંગો ઉપર ઝૂમખાંમાં જોવા મળે છે. રસ ચૂસવાથી પાંદડા પીળા પડે છે. જીવાતના મુખમાંથી ચીકણો રસ ઝરવાથી પાન તડકામાં ચળકે છે. જેના ઉપર કાળી ફૂગના ઉપદ્રવના લીધે છોડ કાળો પડે છે. ફૂલો,પાન અને શીંગો ચીમળાઈ જાય છે. પરિણામે તેલના ટકા અને ઉત્પાદન ધટે છે. 🧑🏻‍🌾આ જીવાત ના સચોટ નિયંત્રણ માટે એગ્લોરો (ક્લોરોપાયરિફોસ 20% ઇસી) 25 મિલી /પંપ અથવા ક્રુઝર (થાઇમેથોક્સમ 25% ડબલ્યુજી) 4 ગ્રામ પ્રતિ પંપ સાથે સારા વૃદ્ધિ વિકાસ માટે સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
20
1