AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાકમાં પાછોતરા સુકારા ની સમસ્યા!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકમાં પાછોતરા સુકારા ની સમસ્યા!
🌱હાલના બદલાતા વાતાવરણ પ્રમાણે ટામેટા ના પાક માં સુકારાનો પ્રશ્ન વધારે જોવા મળે છે. આ રોગ ના લીધે પાક માં ઘણું નુકશાન થાય છે,તો ચાલો જાણીએ આ રોગના સચોટ નિયંત્રણ વિશે!! 🍅ટામેટાના પાકમાં પાછોતરો સુકારોની સીધી અસર ફળની ગુણવત્તા અને ઉત્પાદન પર થાય છે. 🍅આ રોગ ફાયટોફથોરા નામની ફૂગથી ફેલાય છે. 🍅આ રોગની શરૂઆત પાન ઉપર પાણી પોચા ભૂરા ટપકાં જોવા મળે છે. સમય જતા આ ટપકાં આખા પાન ઉપર ફેલાઈ જાય છે જેથી પાન સુકાઈ જાય છે. 🍅અનુકૂળ વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં રોગની ઉગ્રતા વધતા પાક દજાઈ ગયો તેમ દેખાય છે. પાકમાં તીવ્ર વાસ આવે છે. ફળ ઉપર પણ અસર પડે છે. 🍅આ રોગના સચોટ નિયંત્રણ માટે પનાકા એમ 45 (મેંન્કોઝેબ 75% ડબલ્યુપી) 45 ગ્રામ અથવા એગ્રોસ્ટાર એજેક્સ (એઝોક્સિસ્ટ્રોબિન 23%એસસી) 20 મિલી પ્રતિ પંપ સાથે છોડ ના સારા વૃદ્ધિ વિકાસ અને ફૂલ-ફાલ માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!
21
0
અન્ય લેખો