AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલન માટે સરકાર આપશે લાખો રૂપિયા!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પશુપાલન માટે સરકાર આપશે લાખો રૂપિયા!
🐃ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પુરી પાડવામાં આવે છે. આવી જ એક સરકારી યોજનાની આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે.આ યોજનામાં સરકાર પશુપાલન માટે આપી રહી છે લાખો રૂપિયા....જાણો વિગતવાર... 🐃સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા ૧૨ લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજવળ બને. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. યોજનાનો લાભ મેળવવા કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર? 🐃લાભાર્થી નું આધારકાર્ડ 🐃પાનકાર્ડ 🐃જમીનના દસ્તાવેજ 🐃જે તે પશુની માલિકીનું પ્રમાણપત્ર 🐃લાભાર્થી નાગરિકનો પાસપોર્ટ સાઈઝ ફોટો યોજનાનો લાભ લેવા કઈ રીતે કરવી અરજી? 🐃આ યોજનાનો ઓફલાઈન માધ્યમમાં લાભ લેવા અરજી કરવા નીચેની માહિતી જરૂરી છે. 🐃તમારા જિલ્લાના કૃષિ વિભાગ કચેરીમાં જાઓ. 🐃ત્યાં જઈ ત્યાંના કૃષિ વિભાગ કચેરીના અધિકારી નો સંપર્ક કરો. કોને મળી શકે છે આ યોજનાનો લાભ? 🐃આ લોન માટે લાભ લેનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. 🐃લાભાર્થી પાસે તેના તબેલામાં કે જગ્યાએ 10 કરતા વધારે પશુઓ હોવા જોઈએ. 🐃આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકો પાસે પોતાના પશુઓ માટે તબેલો હોવો ફરજિયાત છે. 🐃જે ખેડૂતો કે પશુપાલકોને તેમના પશુઓને રાખવા માટે તબેલો હશે નહીં તેવો આ યોજનાનો લાભ લઇ શકે નહીં. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
30
0
અન્ય લેખો