પશુપાલનઅમુલ
પશુઓ માટે મિનરલ મિક્સર, મીઠું અને પાપડીયા ખારાનું મહત્વ !
ફાયદા :
🐮 પાડી, વાછરડીનો ઝડપી વિકાસ થાય.
🐄 જાનવર નિયમીત વેતરે આવે અને વહેલું બંઘાય.
🐮 તંદુરસ્ત બચ્ચાનો જન્મ થાય અને દૂધ ઉત્પાદકમાં વધારો થાય.
🐄 પુખ્ત જાનવરને પ૦ ગ્રામ અને પાડી/વાછરડીને ૨૫ ગ્રામ મિનરલ મિક્સર આપવું જોઇએ.
🐮 જાનવરની તંદુરસ્તી જળવાઇ રહે અને ફેટ અને એસ.એન.એફ. માં સુધારો થાય.
🐄 માટી ખસવાનું પ્રમાણ ઘટે અને સુવારોગ અટકાવી શકાય
🐮 પાછા ફરવાનું(ઉથલા) પ્રમાણ ઘટે જેથી બે વિચાણ વચ્ચેનો ગાળો ઓછો થાય.
🐄 મીઠું આપવાથી ખોરાકના સ્વાદમાં વધારો થાય અને પાચનક્રિયા વધે.
🐮 મીઠું આપવાથી લોહીનું ભ્રમણ સારું થાય અને એસીડીટીનું પ્રમાણ ઘટે.
🐄 પાપડીયો ખારો આપવાથી હોજરીના જીવાણું થી વૃધ્ધિ થવાથી પાચન સારું થાય.
🐮 પાપડીયો ખારો આપવાથી તાજા દૂધમાં આવતા ફોદા કે દૂધ ફાટી જવાની શક્યતા ઘટે છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : અમુલ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.