એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પપૈયામાં મિલિબગ્સ
👉 પપૈયાના ફળ બેસવાના શરુ થાય તે સમયે મિલિબગ્સનો ઉપદ્રવ આવતો હોય છે.
👉 આ જીવાત ફળ તેમ જ પાન અને થડ ઉપર રહી રસ ચૂંસીને નુકસાન કરતી હોય છે.
👉 આ જીવાતથી ૬૦ થી ૮૦ ટકા જેટલું વાડીમાં નુકસાન થયેલ જોવા મળેલ છે.
👉 આ માટે જીવાતથી નુકસાન પામેલ પાન કે ખરી પડેલ ફળો વીણી લઇ સમયાંતરે નાશ કરવા.
👉 આ જીવાતના પરજીવી પણ ઉપલબ્ધ થાય તો છોડવા. ફળમાં રહી જતા દવાના અવષેશોને ધ્યાને લેતા કોઇ પણ રાસાયણિક દવાનો છંટકાવ કરવો હિતાવહ નથી.
👉 ઉપદ્રવ જણાય તો શરુઆતથી જ બાયોપેસ્ટીસાઇડ જેવી કે મેટારહીઝમ એનીસોપ્લી, ફૂગ આધારિત દવા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
👉 આ દવાના દ્રાવણમાં એકાદ બે ચમચી કોઇ પણ ધોવાનો પાવડર ઉમેરવાથી દવાની અસરકારતા વધે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.